રવિવારે મયુર નેચર ક્લબ અને હરડે પ્રચાર કેન્દ્ર મોરબી દ્વારા નેચરલ વસ્તુઓનું રાહતદરે વેચાણ

- text


મોરબી : મયુર નેચર ક્લબ અને હરડે પ્રચાર કેન્દ્ર મોરબી દ્વારા આવતીકાલે તારીખ 25 ડિસેમ્બર ને રવિવારના રોજ સાર્થક વિદ્યા મંદિર,મોરબી-2 ખાતે સવારે 9 થી બપોરના 1 વાગ્યાં સુધી રાહતદરે નેચરલ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે.

- text

સંસ્થા દ્વારા હરડે પાવડર, નેચરલ સાબુ, ગૌમૂત્ર અર્ક, દેશી ગોળ, આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક ,નગોળનું તેલ, દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડ, આંબળાની મીઠી કેન્ડી, રસોડામાં ઉપયોગી એવા લાકડામાંથી બનાવેલ પાટલા, વેલણ, જેરણી વગેરે વસ્તુઓનું રાહત દરે વેચાણ કરાશે. આ વિતરણ વ્યવસ્થા અને મોરબી હરડે પ્રચાર કેન્દ્રનાં સંયોજક જીતુભાઇ ઠક્કરે સૌને આ વેચાણ કેન્દ્રનો લાભ લેવા જણાવ્યું છે.

- text