દિવાળીના દિવસે જ ઝેરી દવા ગટગટાવી લેતા હમીરપરના આધેડનું મૃત્યુ

- text


ટંકારા : ટંકારા તાલુકાના હમીરપર ગામે રહેતા આધેડ ગત તા.24ના દિવાળીના દિવસે અન્યની વાડીએ જઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

- text

પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના હમીરપર ગામે રહેતા રમેશભાઈ વસ્તાભાઈ કરશીયા ઉ.50 નામના આધેડે ગત તા.24ના રોજ હમીરપર ગામના જેન્તીભાઈ ડાયાભાઇની વાડીએ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર માટે પ્રથમ પડધરી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text