ટંકારાના હરિપરમા ઝેરી દવા પી લઈ ખેત શ્રમિકનો આપઘાત

- text


ટંકારા : ટંકારા તાલુકાના હરિપર ગામે રહી ખેતમજૂરી કરતા શ્રમિકે અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના હરિપર ગામે ગોવિંદભાઇ દુબરીયાની વાડીએ રહી ખેતમજૂરી કરતા હેમરાજભાઈ જીતરાજભાઈ ગણવા ઉ.33, મૂળ સેંજાવાડા ગામ, તા. ભાભર, જી. અલીરાજપુર, મધ્યપ્રદેશ વાળાએ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા સારવાર માટે ટંકારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text