વાંકાનેરમાં જીતુભાઈ સોમાણીના સમર્થનમાં મહિલાઓએ રામધૂન બોલાવી 

- text


હવે જીતુભાઈ સોમાણીના ઉપવાસ આંદોલન સમર્થનમાં મહિલાઓ મેદાને

વાંકાનેર : ગણેશોત્સવ માટે મેદાન ભાડે આપવામાં તંત્રની આડોડાઈ સામે ભાજપ અગ્રણી જીતુભાઈ સોમાણીના ઉપવાસ ઉપર ઉતરી જતા ગઈકાલે ઉપવાસના પાંચમા દિવસે શહેર-તાલુકાના મહિલા મંડળ દ્વારા ઉપવાસ છાવણી ખાતે રામધૂન બોલાવી જીતુભાઈને સમર્થન જાહેર કર્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના માર્કેટચોક ખાતે શાખા મેદાનમાં વર્ષોથી ગણેશોત્સવ સમિતિ વાંકાનેર દ્વારા ગણેશોત્સ્વ યોજવામાં આવે છે અને આ વર્ષે પણ પાલિકા દ્વારા ટોકન દરે મેદાન ભાડે આપવા ઠરાવ કર્યો હોવા છતાં વહીવટદાર દ્વારા ધાર્મિક કાર્યક્રમ માટે વર્ષોથી ટોકન દરે આપવામાં આવતા આ મેદાનની હરરાજી કરવા હિલચાલ કરતા વહીવટદારના આ વલણ સામે ગણેશોત્સવ સમિતિના આગેવાન અને ભાજપ અગ્રણી જીતુભાઇ સોમાણી દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરાયું છે. જે અન્વયે ગઈકાલે શહેર તથા તાલુકાની મહિલાઓ બહોળી સંખ્યામાં ઉપવાસી છાવણી ખાતે હાજર રહી જીતુભાઈ સોમાણીના ઉપવાસ આંદોલનમાં સમર્થનમાં રામધૂન બોલાવી હતી. આ ઉપરાંત અલગ અલગ ધાર્મિક-સામજિક સંસ્થાઓના અગ્રણીઓ દ્વારા પણ ઉપવાસ છાવણીની મુલાકાત લેવામાં આવી હતી.

- text

- text