મોરબીમાં કોરોનાના બે કેસમાંથી એકને ડિસ્ચાર્જ અપાયુ

- text


મોરબી : મોરબી જિલ્લામાં ફરી કોરોનાએ રીએન્ટ્રી કરી હતી. છેલ્લા થોડા દિવસોમાં બે કોરોનાના કેસ નોંધાયા હતા. દરમિયાન આજે મોરબી જિલ્લામાં 70 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. એટલે રાહત થઈ છે. જ્યારે અગાઉના બે કેસમાંથી આજે મોરબી તાલુકાના દર્દીને ડિસ્ચાર્જ જાહેર કરવામાં આવ્યો છે. આથી હવે એક જ કેસ એક્ટીવ રહ્યો છે.

- text