નાના ખીજડીયામાં શનિવારે “ગીતો ભરી શામ બાબાસાહબ કે નામ” કાર્યક્રમ

- text


ટંકારા : ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામમાં શનિવારે “ગીતો ભરી શામ બાબાસાહબ કે નામ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામમાં પ્રવિણભાઈ રાણાભાઈ ચૌહાણ, નરેશભાઈ રામજીભાઇ ચૌહાણ, ભરતભાઇ રાણાભાઇ ચૌહાણ અને લખમણભાઇ રાણાભાઇ ચૌહાણ સહિતના લોકોના સહયોગથી તા. 14 એપ્રિલના રોજ બાબાસાહેબ ડો. આંબેડકરની જન્મજયંતિ નિમિતે “એક શામ ભીમ કે નામ” “ગીતો ભરી શામ બાબાસાહબ કે નામ” કાર્યક્રમનું તા. 30ને શનિવાર રાત્રે 9-30 કલાકે આયોજન કરવામાં આવ્યું છે.

- text

જેમાં ભીમ ભોજનની વ્યવસ્થા સાંજે 7 કલાકે કરવામાં આવી છે. કાર્યક્રમમાં ગાયક કલાકારો પરેશ રાઠોડ & ગ્રુપ અને માયા ચૌહાણ તથા નાનજીભાઈ પરમાર ગીતોની પ્રસ્તુતિ કરશે. આયોજકોએ કાર્યક્રમમાં આવવા ગામલોકોને જાહેર આમંત્રણ પાઠવ્યું છે.

- text