મોરબીમાં શનિવારે અને રવિવારે કેન્સર નિદાનનો નિઃશુલ્ક કેમ્પ

- text


મોરબી : મોરબીમાં શનિવારે અને રવિવારે કેન્સર નિદાનના નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીમાં વીસાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલીત નવાડેલા રોડ પર આવેલ ડી. સી. મહેતા સાર્વજનિક ડીસ્પેન્સરી ટ્રસ્ટ દ્વારા સ્વ. રોહિતભાઈ છબીલદાસ દોશીના સ્મરણાર્થે હસ્તે અરુણાબેન રોહિતભાઈ દોશી પ્રેરિત કેન્સર નિદાન કેમ્પમાં મુંબઇના કેન્સર નિષ્ણાંત સર્જન ડૉ. વિક્રમભાઇ સંઘવી (M.S.) કેન્સરના દર્દીઓને આગામી તા. 30ને શનિવાર સાંજે 4થી 7 વાગ્યે અને તા. 1ને રવિવારે સવારે 9 થી 12 વાગ્યાના સમય દરમ્યાન વિનામુલ્યે તપાસીને યોગ્ય માર્ગદર્શન આપશે.

- text

આ કેન્સર નિદાન કેમ્પનો લાભ લેવા ઇચ્છતા દર્દીઓએ પોતાનું નામ ડીસ્પેન્સરીના મેડીકલ ઓફીસર ડૉ. હિરેન ચૌહાણને અગાઉથી નોંધાવી જવા અને તપાસ માટે આવે ત્યારે પોતાના કેસ પેપર્સ સાથે લાવવા તેમ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ભાવેશભાઈ શાહની યાદીમાં જણાવેલ છે.

- text