ટંકારામાં ભાજપ, કોંગ્રેસ અને ‘આપ’એ સાથે મળી ડો. આંબેડકરની જન્મજયંતિ ઉજવી

- text


ટંકારા : ડો.બાબા સાહેબ આંબેડકરની ૧૩૧ મી જન્મજયંતિ નિમિત્તે ગઈકાલે ગુરૂવારે સમગ્ર તાલુકાના ભીમ સૈનિકો દ્વારા ટંકારામાં રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ.રેલીમાં ભાજપ,કોંગ્રેસ અને આપ પક્ષના આગેવાનો દ્વારા બાબાસાહેબની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા હતા.

ટંકારામાં ગત તા.૧૪ને ગુરુવારે ડો.‌ભીમરાવ આંબેડકરની ૧૩૧મી જન્મજયંતિ નિમિત્તે તાલુકાના એક હજાર થી વધુ ભીમ સૈનિકો દ્વારા આયોજકો રમેશભાઈ રાઠોડ,મોહનભાઈ સોલંકી,મોહનભાઈ ચૌહાણ,પ્રવિણભાઈ પંચાલ,મહેશભાઈ લાધવા,નાગજીભાઈ ચૌહાણ સહિતના અગ્રણીઓની આગેવાની હેઠળ ડો.બાબા સાહેબ આંબેડકરની રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

- text

જેમાં રેલી તાલુકા પંચાયત સામે ડો.આંબેડકર ભવનથી પ્રસ્થાન કરવામાં આવ્યુ હતુ.રેલી દરમિયાન ભાજપ,કોંગ્રેસ અને આપ પક્ષના આગેવાનો દ્વારા બાબાસાહેબની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા હતા.રેલી નિયત રૂટ મુજબ શહેરના મુખ્ય રાજમાર્ગો ઉપર પસાર થઈ આંબેડકર હોલ ખાતે પૂર્ણ થતા કાર્યક્રમની રૂપરેખા મુજબ અંતિમ તબક્કામાં સમૂહ ભીમ ભોજન માણ્યા બાદ પ્રસંગનુ સમાપન કરાયુ હતુ.

 

- text