મોરબીમાં સરસ્વતી શિશુમંદિર ખાતે વિદ્યાર્થીઓ લિખિત ગ્રંથ વિમોચનનો કાર્યક્રમ યોજાયો

- text


 

મોરબી : સરસ્વતી શિશુમંદિર-મોરબી દ્વારા સ્વાધીનતાના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ હમ કરે રાષ્ટ્ર આરાધન કાર્યક્રમ ખૂબ સુંદર રીતે પરિપૂર્ણ થયો. વિદ્યાર્થીઓમાં અખૂટ શકિતનો ભંડાર છે. જો આ શકિતઓને યોગ્ય દિશામાં વહેવા દેવામાં આવે તો શ્રેષ્ઠ માનવ અને સુખી સમાજનું નિર્માણ થઈ શકે. શિક્ષણમાં અનેક પ્રયોગો કાર્યક્રમો થકી આ શકિતઓને ઉજાગર કરી રચનાત્મક તથા સર્જનાત્મક કાર્યોમાં કાર્યરત રાખવામાં આવે છે.

છેલ્લા થોડા સમયથી કક્ષા 6 તથા કક્ષા 8ના વિદ્યાર્થીઓ હસ્તલિખિત અંક તૈયાર કરી રહ્યા હતા. ખૂબ અધ્યયન-ચર્ચા કરી વિદ્યાર્થીઓએ ભારતીય પ્રાચીન વિદ્યાઓ, ભારતીય પ્રાચીન વિદ્યાપીઠો, ગણિત-વિજ્ઞાનમાંમાં પ્રાચીન ભારતનું યોગદાન, મનોહર કહાનિયા ચલો ચલે કહાનીયો કી દુનિયામે અને નિરામય જીવન જેવા હસ્તલિખિત અંક તૈયાર કર્યા. જે ગ્રંથ વિમોચનનો કાર્યક્રમ ખૂબ સુંદર રીતે પૂર્ણ થયો છે.

- text

આ કાર્યક્રમમાં વિદ્યાલયના ભુતપૂર્વ વિદ્યાર્થીઓ, વાલી, આચાર્યો વગરે ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રંથ વિમોચનમાં જોડાયા હતા. સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.

- text