મોરબી જિલ્લા ‘આપ’ દ્વારા પેપરલીક કૌભાંડ ઉજાગર કરનાર નેતાના સમર્થનમાં કલેકટરને આવેદન

- text


મોરબી : મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા યુવરાજ સિંહને થયેલા અન્યાય સામે આજરોજ જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

લાખો વિધ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરતી ભાજપ સરકારના પેપરકાંડને ઉજાગર કરતા વિધ્યાર્થી નેતા યુવરાજસિંહજી વિરુદ્ધ ખોટાં કેસમાં જેલમાં પૂરી દેવા બાબતે આજરોજ મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ પ્રવીણભાઈ રામ અને મોરબી જિલ્લા પ્રભારી શીવાજીભાઈ ડાંગર તથા મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયાના માર્ગદર્શન હેઠળ મોરબી શહેર યુવા પ્રમુખ ભવદિપસિંહ ઝાલાની આગેવાની હેઠળ મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે આજરોજ આવેદનપત્ર આપી અને યુવરાજસિંહના સમર્થનમાં ઉગ્ર સુત્રોચ્ચાર કરાયા હતા.

- text

મોરબી જિલ્લા ટીમમાંથી મોરબી જિલ્લા ઉપપ્રમુખ વનરાજસિંહ વાધેલા, મોરબી જિલ્લા મહામંત્રી જસવંતભાઈ કગથરા તથા મોરબી તાલુકા ટીમમાથી મોરબી તાલુકા પ્રમુખ દિવ્યેશભાઈ મગુનીયા, મોરબી તાલુકા યુવા પ્રમુખ રમેશભાઈ સદાતીયા, મોરબી શહેર યુવા ટીમમાથી મોરબી શહેર યુવા ઉપપ્રમુખ વિશ્વજીતસિંહ જાડેજા, મોરબી શહેર યુવા ઉપપ્રમુખ કિશનભાઈ ઠક્કર, વિશ્વાસભાઈ મોરબી શહેર યુવા મંત્રી હાજર રહ્યા હતા.

- text