- text
હળવદ : હળવદના દંતેશ્ર્વર દરવાજા પાસે આવેલ ભંગારના ડેલામા આગ લાગી હતી. જેમા જોત જોતામા ડેલામા પડેલ ભંગાર બળીને ખાખ થયો હતો. આગ લાગવાના બનાવની જાણ થતા હળવદ નગરપાલિકાના ફાયર ફાયટરોએ પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. ડેલા માલીક ધનાભાઇએ આગને કારણે આર્થિક નુકશાન થયું હોવાનું જણાવ્યું હતું. જોકે આગ કયા કારણે લાગીએ હજુ જાણવા મળ્યુ નથી.
- text