જય હો, જય હો શંકરા : જ્યોર્તિલિંગ નાગેશ્વર મહાદેવની આરાધના કરતા સારા અલી ખાન અને વિક્રાંત મૈસી

- text


બંને કલાકારોએ લલાટે ચંદન લગાવી, ધૂનમાં લીન બની, મહંતના આશીર્વાદ પ્રાપ્ત કર્યા

મોરબી : ગઈકાલે દેવભૂમિ દ્વારકાની મુલાકાતે આવેલા બોલીવૂડ કલાકાર સારા અલી ખાન અને વિક્રાંત મૈસી એ સૌથી જગતમંદિર અને ત્યારબાદ ભડકેશ્વર મંદિર ખાતે દર્શન કર્યા હતા. તેમજ હવે જ્યોર્તિલિંગ નાગેશ્વર મંદિરમાં ભોળાનાથની આરાધના કરી હતી. તેમજ બંને કલાકારોએ લલાટે ચંદન લગાવી મહંતના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

જય હો, જય હો શંકરા.. કેદારનાથ મુવીનું આ ગીત યાદ આવી જાય તેવી ઘટના તીર્થભૂમિ દ્વારકામાં બની છે. કારણ કે કેદારનાથ ફિલ્મની અભિનેત્રી સારા અલી ખાને આજે દ્વારકા ખાતે આવેલા ભડકેશ્વર અને નાગેશ્વર મંદિરમાં પૂજન-અર્ચન કર્યું હતું.

ગઈકાલે દ્વારકામાં આવેલા બોલીવૂડ સ્ટાર સારા અલી ખાન અને વિક્રાંત મૈસી સહિતના કાફલાએ સૌપ્રથમ શ્રીદ્વારકાધીશના ચરણાવિંદમાં શીશ ઝુકાવ્યા હતા. ત્યારબાદ ભડકેશ્વર મહાદેવના દર્શન કરી તેઓ દ્વાદશ જ્યોર્તિલિંગ પૈકી એક એવા નાગેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચ્યા હતા. ત્યારબાદ અભિનેતા અને અભિનેત્રીએ કપાળે ચંદનનો લેપ લગાવ્યો હતો અને સૌએ શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

આ સાથે એક્ટ્રેસ સારા અલી ખાન નાગેશ્વર મહાદેવની સાંજની આરતી દરમિયાન તાળી વડે સૂર પુરાવી ધૂનમાં તલ્લીન થઈ ગઈ હતી. અને એક્ટર વિક્રાંત મૈસી પણ ધોતીના પરંપરાગત પોશાકમાં જોવા મળ્યા હતા. તેમજ બંને કલાકારોએ નાગેશ્વર મંદિરના મહંત ગિરધરભારથી લીલાભારથીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text