ટંકારામાં કાલે શનિવારે ખેલ મહાકુંભ જિલ્લાકક્ષા સ્પર્ધાનો સમાપન સમારોહ યોજાશે

- text


રાજ્યમંત્રીના અધ્યક્ષસ્થાને આયોજિત કાર્યક્રમમાં રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહેશે

ટંકારા : “આઝાદી કા અમૃત મહોત્સવ’ અંર્તગત 11મો ખેલ મહાકુંભ મોરબી જિલ્લાકક્ષા સ્પર્ધા સમાપન સમારોહ યોજાશે.આ કાર્યક્રમ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાશે. અને કાર્યક્રમમાં રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

ગુજરાત સરકાર રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ,વિભાગ,ગાંધીનગર પ્રેરિત સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત,ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર મોરબી અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી,મોરબી દ્વારા આયોજીત “આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત 11મો ખેલ મહાકુંભ-2021 જિલ્લાકક્ષા સ્પર્ધા સમાપન સમારોહ આગામી તા.26ને શનિવારના રોજ સવારે 10 કલાકે નવયુગ સંકુલ,વીરપર, ટંકારા ખાતે રાખેલ છે.

- text

આ જિલ્લાકક્ષા સ્પર્ધા સમાપન સમારોહ કાર્યક્રમમાં રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાની અધ્યક્ષતામાં યોજાશે.મુખ્ય મહેમાન તરીકે દેવાભાઈ માલમ )રા.ક.મંત્રી પશુપાલન અને ગૌ સંવર્ધન વિભાગ, ગુજરાત સરકાર તથા પ્રભારી મંત્રી,મોરબી જિલ્લો),પુનમબેન માડમ(સંસદસભ્ય 12- જામનગર લોકસભા વિસ્તાર),મોહનભાઈ કુંડારીયા(સંસદ સભ્ય 10-રાજકોટ લોકસભા વિસ્તાર),વિનોદભાઈ ચાવડા(સંસદ સભ્ય 1-કચ્છ લોકસભા વિસ્તાર),જે.બી.પટેલ (IAS) જિલ્લા કલેકટર, મોરબી),ચંદુભાઈ શિહોરા( પ્રમુખ જિલ્લા પંચાયત,મોરબી) ઉપસ્થિત રહેશે.

અતિથિ વિશેષ તરીકે લલીતભાઈ કગથરા (ધારાસભ્ય,66-ટંકારા વિધાનસભા વિસ્તાર),પરષોતમભાઇ સાબરીયા (ધારારાભ્ય,14-ધ્રાંગધ્રા વિધાનસભા વિસ્તાર),પુષ્પાબેન કામરીયા (તાલુકા પંચાયત પ્રમુખ,ટંકારા),પ્રવિણભાઈ મુછડીયા (ધારાસભ્ય,76-કાલાવાડ વિધાનસભા વિસ્તાર),મોહંમદ જાવેદ પીરઝાદા (ધારાસભ્ય,67-વાકાનેર વિધાનસભા વિસ્તાર) હાજર રહેશે.

- text