વાંકાનેરથી સજ્જનપરની એસટી રૂટ બંધ કરાતા વિદ્યાર્થીઓને હાલાકી

- text


એસટી બસને પુનઃ શરૂ કરવા ડેપો મેનેજરને રજુઆત

ટંકારા : વાંકાનેરથી વાયા ટંકારાના સજ્જનપર ગામે આવતી એસટી બસ અચાનક જ બંધ કરી દેવાતા આ રૂટ પરના વિદ્યાર્થીઓ રઝળી પડ્યા છે અને દરરોજ શાળાએ અપડાઉન કરવા વિદ્યાર્થીઓને ભારે હાલાકી પડતી હોવાથી આ એસટી બસને પુનઃ શરૂ કરવા ડેપો મેનેજરને રજુઆત કરાઈ છે.

- text

ટંકારાના સજ્જનપર ગામના તાલુકા પંચાયતના સદસ્ય મનીષાબેન રાજેશભાઇ કોરડીયાએ મોરબી એસટી ડેપો મેનેજરને લેખિતમાં રજુઆત કરી હતી કે, વાંકાનેરથી વાયા ટંકારાના સજ્જનપર થઈને એસટી બસ અંબાજી જાય છે. આ એસટી બસ સવારે છ વાગ્યે ટંકારાના સજ્જનપર આવતી હતી.પણ સજ્જનપર ગામે આ બસ અચાનક જ રદ કરી દેવામાં આવી છે. આથી મોરબી ખાતે શાળાએ અપડાઉન કરતા ગામના વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આથી વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તે માટે તેમના હિતને ધ્યાને લઈને સજ્જનપર સવારે આવતી આ એસટી બસને ફરીથી ચાલુ કરવા તેઓએ માંગ કરી છે.

- text