માતાના મઢ જતા પદયાત્રીઓ માટે કોટડા નાયાણીના પાટીયે સેવા કેમ્પ

- text


મોરબી : આશાપુરા યુવા ગ્રુપ તથા સમસ્ત રાજપૂત સમાજ કોટડા નાયાણી દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવા કેમ્પમાં પદયાત્રીઓ માટે રહેવા, ન્હાવા તથા મેડિકલ સુવિધા રાખવામાં આવી છે. સાથે પ્રસાદ-ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ કેમ્પ માધવ હોટેલના ગ્રાઉન્ડમાં રાજકોટથી 20 કિમિ મોરબી રોડ પર કોટડા નાયાણીના પાટીયે તા.23થી 27 સુધી રાખવામાં આવ્યો છે. કેમ્પમાં પધારી તેનો લાભ લેવા પદયાત્રીઓને કોટડા નાયાણી રાજપૂત સમાજ દ્વારા અપીલ કરવામાં આવી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text