વાંકાનેર : વાડામાં પશુઓના ચારામાં આગ ભડકી ઉઠી

- text


સદનીસબે જાનહાની ટળી પણ આગમાં કડબનો જથ્થો ખાક

વાંકાનેર : વાંકાનેરના દિધલીયા ગામે આવેલા એક વાડામાં પશુઓ માટે રખાયેલા ચારામાં આજે ઓચિંતી આગ ભડકી ઉઠી હતી.સદનસીબે આ આગની ઘટનામાં જાનહાની થઈ ન હતી. પણ આગમાં પશુઓના ચારાનો જથ્થો બળીને ભસ્મીભૂત થઈ ગયો હતો.

આ આગની ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના દિઘાલીયા ગામે રહેતા ખેડૂત અબ્દુલ હાજીભાઈ વકાલિયાના ગામ પાસે આવેલા વાડામાં રાખેલા પશુચારાના જથ્થામાં આજે કોઈ કારણસર અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ આગમાં 10 ટ્રેકટર ભરાઈ તેટલો કડબનો જથ્થો સળગીને રાખ થઈ ગયો હતો. આથી ખેડૂતને ભારે નુકશાન થયું હતું.જોકે આ આગની ઘટનામાં સદભાગ્યે જાનહાની થઈ ન હતી.

- text

- text