તીથવા ગામ સ્થિત ‘માનું ધામ’માં પ્રથમ પાટોત્સવ મોકૂફ રખાયો

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના તીથવા ગામમાં ભંગેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં આવેલ માતંગી મોઢેશ્વરી માતૃ સંસ્થાન ‘માનું ધામ’માં ગત વર્ષે માગશર સુદ દશમના દિવસે માતાની પ્રતિમાને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. જેને 24 ડિસેમ્બરના રોજ એક વર્ષ પૂરું થાય છે. એટલે કે પ્રથમ પાટોત્સવ આવશે. પરંતુ કોરોના મહામારીની પરિસ્થતિને લીધે પાટોત્સવ ઉજવવાનું બંધ રાખવામાં આવ્યું છે. તેમજ માત્ર ટ્રસ્ટીઓ દ્વારા માતાનું પૂજન-અર્ચન કરવામાં આવશે. જેની સર્વે ભક્તોએ નોંધ લેવા ટ્રસ્ટીઓએ જણાવ્યું છે.

- text

- text