વાંકાનેર : પાટડીયા રિદ્ધિએ નિબંધ સ્પર્ધામાં મોરબી જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ઝળહળતી સિદ્ધિ મેળવી

- text


વાંકાનેર : વાંકાનેર ખાતે આવેલ શ્રીમતી એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીની પાટડીયા રિદ્ધિ કમલેશભાઈ (ધો. 12)એ ‘ગુજરાત ગૌરવ દિન’ નિબંધ સ્પર્ધામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં સમગ્ર મોરબી જીલ્લામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી શાળા પરિવારનું ગૌરવ વધારેલ છે. આ તકે શાળાના આચાર્ય દર્શનાબેન જે. જાની ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ પ્રમુખ લલિતભાઈ મહેતા અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના રિધ્ધીબેન ખુબ ખુબ અભિનંદન પાઠવેલ છે. આ સ્પર્ધામાં રિદ્ધિએ રૂ. 15,000નું પુરસ્કાર તાલીમ ભવન – રાજકોટ ખાતેથી મેળવેલ છે. આ તકે શાળા પરિવાર તરફથી રિદ્ધિને ખુબ-ખુબ શુભેચ્છા પાઠવવામાં આવેલ છે.

- text

- text