મોરબીમાં ચેનલ ઓપરેટરને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી

- text


ત્રણ શખ્સો સામે માર માર્યાની એ ડિવિજનમાં ફરિયાદ નોંધાઇ

મોરબી : મોરબીમાં કોઈ જુના મનદુઃખનો ખાર રાખી ચેનલ ઓપરેટરને ત્રણ શખ્સોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં ત્રણ શખ્સો સામે માર માર્યાની એ ડિવિજનમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

આ મારામારીના બનાવની મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ઈદ મસ્જીદ રોડ ઉપર આવેલ ઘાંચી શેરી નં-૦૭ માં રહેતા અને ચેનલ ઓપરેટર તરીકે ધંધો કરતા સાજીદભાઈ ગનીભાઈ પિલુડીયા (ઉ.વ.૪૫) એ આરોપીઓ સાબીરભાઈ રજાકભાઈ પિલુડીયા તથા બે અજાણ્યા માણસો સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૧૯ ના રોજ રાતના દશેક વાગ્યે મોરબીના આસ્વાદ પાન નાલા પાસે વાણંદની દુકાન આગળ ફરીયાદીને એક આરોપીએ મોબાઇલ ફોન કરી બહાર બોલાવી અને આરોપીઓએ તેઓની પાસે રહેલ ધોકાથી ફરીયાદીને ઈજા કરી ગાળો આપી મારી નાંખવાની ઘમકી આપી હતી. આ બનાવની ફરિયાદ પરથી એ ડિવિજન પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text