- text
મોરબી:કોરોના મહામારીનું સંક્રમણ વધતું અટકાવવા કેન્દ્ર સરકાર દ્વારા માર્ચ મહિનામાં લગાવામાં આવેલા લોકડાઉનને કારણે મોટા ભાગના ઉદ્યોગને મોટો ફટકો પડયો છે. જેના કારણે અનેક કારખાનાં હાલ બંધ છે અથવા બંધ થવાની સંભાવનાને પગલે ધીમી ગતિએ ચાલી રહ્યા છે.વધતી બેરોજગારી અને ધંધામાં નુકસાન થવાથી લોકો નાસીપાસ થઈ અપઘાત તરફ વળી રહ્યા છે.મોરબીમાં પણ ધંધો બરાબર ન ચાલવાને કારણે યુવકે અપઘાત કરી લીધો હતો.
- text
બનાવની મળતી માહિતી મુજબ મોરબીના ખાખરાળા ગામના મહેશભાઇ નારણભાઇ વડાવીયા જાતે પટેલએ પ્રોપેન ગેસ પ્લાન્ટના કામકાજનો ધંધો ચાલુ કર્યો હતો પણ લોકડાઉન બાદ બરાબર ચાલતો ન હોય અને ધંધામાં કોઇ વધારો ન થતો હોય અને નુકશાન રહેતુ હોય જેથી થોડાક દિવસથી ગુમ સુમ રહેતો હોય જેથી તેને મનોમન લાગી આવતા પોતાની જાતે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે તાલુકા પોલીસે આપઘાત મોત અંગે નોંધ કરી તપાસ હાથ ધરી હતી.
- text