વાંકાનેરના નવા ગારીયા ગામે થયેલી મારમારીમાં વળતી ફરિયાદ નોંધાઇ

- text


 

વાંકાનેર : વાંકાનેરના નવા ગારીયા ગામે પાણીના ટાકામાંથી.પાણી છોડવા મામલે ઉપ સરપંચ અને ગામના એક શખ્સ વચ્ચે મારામારી થઈ હતી.આ મારામારીમાં અગાઉ એક.પક્ષે ફરિયાદ નોંધાવ્યા બાદ આજે સમાપક્ષે પણ હુમલો કર્યાની વળતી ફરિયાદ નોંધાવી છે.

- text

આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેરના નવા ગારીયા ગામે રહેતા સાવજુભા બટુકસીંહ વાળાએ આરોપી પુષ્પરાજસિંહ અગરસીંહ વાળા સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે , ગત તા.૨૪ ના રોજ નવા ગારીયા ગામે પાણીના ટાંકામાંથી પાણી છોડવા મામલે ફરીયાદીના દીકરાને ગારીયાના ઉપસરપંચ રસીકસીંહ તથા યુવરાજસિંહ સાથે મારામારી થઈ હતી. જેનો ખાર રાખી આરોપીએ પોતાના પાસેની છરીથી ફરીયાદીને ડાબા પગે સાથળના ભાગે ત્રણ ધા કરી ઇજા પહોચાડી ફરીયાદીતથા સાહેદ હરપાલસીંહને ગાળો આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે.વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text