મોરબીમાં પરિણીતાએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

- text


મોરબી : આજે તા. 23ના રોજ વહેલી સવારે મોરબીમાં રહેતી એક પરિણીતાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. હાલમાં આ બનાવની નોંધ સીટી એ ડિવિઝન પોલીસે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત વિગત મુજબ મોરબીના શનાળા પર આવેલ નારાયણ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રીતીબેન હિરેનભાઈ જાની (ઉ.વ. 29)એ આજે સવારના પહોરમાં પોતાના ઘરે અજાણ્યા કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બાદમાં મૃતકના મૃતદેહને પી.એમ. માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવની મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text