નાગડાવાસ ગામમાં મહિલાનો અગ્નિસ્નાન કરી આપઘાત

- text


વાંકાનેર : નાગડાવાસ ગામમાં રહેતા 32 વર્ષીય રસીદાબેન સલીમભાઇ સુમરા એ તા. 29 એપ્રિલના રોજ રાત્રીના આઠેક વાગ્યા વખતે પોતાના ઘેર કોઇપણ કારણોસર શરીરે કેરોશીન છાંટી આગ લગાડી હતી. શરીરે દાઝી જતા તેઓને પ્રાથમિક સારવાર આયુષ હોસ્પીટલ, મોરબીમાં આપ્યા બાદ વધુ સારવાર માટે બાદ રાજકોટની સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ચાલુ સારવાર દરમ્યાન તા. 30ના રોજ રસીદાબેનનું મૃત્યુ નિપજ્યુ હતું. તાલુકા પોલીસે ગઈકાલે તા. 1 મેના રોજ આ બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- text