અરણીટીંબા ગામે પાણીમાં ડૂબી જતા યુવકનું મોત

- text


વાંકાનેર : અરણીટીંબા ગામમાં રહેતા 38 વર્ષીય દિનેશભાઇ કેશુભાઇ પરમાર ગઈકાલે તા. 1 મેના રોજ તળાવમાં માછલી મારતા વખતે પાણીમાં ડુબી જતા તેઓનું મોત નીપજ્યું હતું. બાદમાં તેઓના મૃતદેહને વાંકાનેરની સિવિલ હોસ્પિટલમાં પી.એમ. અર્થે ખસેડવામાં આવ્યો હતો. તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- text