ત્રાજપરમાં ગેરકાયદે બાંધકામ સામે ઇન્ડિયન માનવાધિકાર એસો.નું અધિક કલેક્ટરને આવેદન

- text


મોરબી : મોરબીના ઇન્ડિયન માનવાધિકાર એસોસિએશન દ્વારા ગેરકાયદેસર બાંધકામ અટકાવવા અંગે અધિક કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.

- text

આ રજૂઆતમાં રમેશભાઈ દુદકીયાએ જણાવ્યા અનુસાર ત્રાજપર તાલુકામાં ગેરકાયદેસર બાંધકામ ચાલે છે. આ બાંધકામ ત્રાજપર ગ્રામ પંચાયતની મંજૂરી લીધા વિના કરવામાં આવી રહ્યું છે. આ સ્થળ પર વાહનચાલકો અને રાહદારીઓની સતત અવર-જવર રહે છે. આ ગેરકાયદેસર બાંધકામ પડે અથવા તેના લીધે જાનહાની થાય તો જવાબદાર કોણ? તેવો પ્રશ્ન ઉઠાવ્યો છે. તેમજ થોડા સમય પહેલા મચ્છુનગરમાં દીવાલ પડી જતા ચાર લોકોના મૃત્યુ નિપજ્યા હતા, એ ઘટનાનો ઉલ્લેખ કરી આવી દુર્ઘટના અહીં ના ઘટે તે માટે યોગ્ય પગલાં લેવા માટે અધિક કલેક્ટર કેતન જોશીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

- text