મોરબી : મિલ્કતનું વહીવટીપત્ર મેળવવા માટેનો દાવો નામંજૂર

- text


મોરબી : વાંકાનેરના જામભા મધુભા જાડેજા અને જાડેજા હકુભાએ મોરબી તાલુકાના ગૂંગણ ગામે સીમમાં આવેલ 337 વિધા ખેતીની જમીનનું વસિયતનામું વગર વહીવટી પત્ર મેળવવા માટે મોરબીની સિવિલ કોર્ટમાં અરજી કરી હતી.જે અરજી સંદર્ભે પ્રસિદ્ધ થયેલી નોટીસના અનુસંધાને પ્રવિણસિંહ નટુભા જાડેજાએ વાંધો તકરારને લઈને મેટર કોન્ટેસ્ટ થતા ટ્રાન્સફર થયેલ જે દાવાનું કામ ચાલી જતા મોરબીની સિવિલ કોર્ટે પ્રતિવાદી પ્રવિણસિંહ નટુભા જાડેજા વતી રોકાયેલા એડવોકેટની કાયદાકીય રજુઆત અને પુરાવાને ધ્યાને લઈને ગત તા. 31 ડીસેમ્બરના રોજ તે દાવાને નામંજૂર કરતો હુકમ આપ્યો હતો.તે દાવામાં વાંધેદાર પ્રવિણસિંહ નટુભા જાડેજાના વકીલ તરીકે મોરબીના એડવોકેટ એન્ડ નોટરી ભાવેશભાઈ ફૂલતરીયા અને રાજેશભાઈ જોશી રોકાયેલ હતા.

- text