મોરબીમાં ગુર્જર પ્રજાપતિ સમાજ દ્વારા કાલે મંગળવારે ઠાકર મંદિરનો જીણોદ્ધાર

- text


મોરબી : મોરબીમાં ગુર્જર પ્રજાપતિ સમાજ દ્વારા આવતીકાલે તા. 24ને મંગળવારે ઠાકર મંદિરનો જીણોદ્ધાર કરવામાં આવનાર છે. જેમાં સવારે 9 કલાકે ઠાકોરજીના વાઘા બદલવાની વિધિ તથા સામૈયું નીકળશે. ત્યારબાદ સાંજે નવા ડેલા રોડ ખાતે આવેલ વિશાશ્રી માળી વાડી ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સર્વે જ્ઞાતિજનોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text