મોરબી : ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા આવતીકાલે સંસ્કાર સભા

- text


મોરબી : નવનિર્મિત ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા આવતીકાલે આયોજિત સંસ્કાર સભામાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા ‘આવો ઘડીએ સંસ્કારવાન પેઢી’ એ વિષય પર શાંતિકુંજ હરિદ્વારથી આવેલ વક્તાઓ માર્ગદર્શન આપશે. મુખ્ય વક્તાઓ તરીકે વિરેશ્વર ઉપાધ્યાય તથા દિનાબેન ત્રિવેદી વક્તવ્ય આપશે. આ સંસ્કાર સભા આવતીકાલે તા. 13 ડિસેમ્બરના બપોરે 3:00 થી 5:00 સુધી ગાયત્રી ચેતના કેન્દ્ર, ગુજરાત હાઉસિંગ બોર્ડ શોપિંગ સેન્ટરની બાજુમાં, છોટાલાલ પેટ્રોલ પંપ પાછળ, જ્ઞાનપથ સ્કૂલ વાળી શેરી, શનાળા રોડ, મોરબી ખાતે યોજાશે. વધુ વિગતો માટે મણીભાઈ ગડારા મો. નં. 94282 77391 નો સંપર્ક કરી શકાશે. આ તકે કેન્દ્ર દ્વારા પ્રબુદ્ધ નાગરીકો, વિદ્યાર્થીઓ અને વાલીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text