- text
મોરબી : મોરબીમાં વૈદ કિશોરભાઈ દશાડીયા દ્વારા તેમના માતુશ્રી સ્વ. જયાબેન મુળજીભાઈ દશાડીયાના સ્મરણાર્થે ગત તા. 20 નવેમ્બરથી 3 મહિના સુધી નિયમિતરૂપે સવારે 7થી 8 સુધી 10, વસંત પ્લોટ, વિજય હેર ડ્રેસર ખાતેથી ઉકાળા કેન્દ્ર શરુ કરવામાં આવેલ છે. જેમાં વિનામૂલ્યે ઉકાળાનું વિતરણ કરવામાં આવશે. દિવ્ય વનસ્પતિમાંથી બનાવેલ ઉકાળો શિયાળામાં અમૃત સમાન હોય છે. જે અનેક રોગો માટે રામબાણ ઈલાજ સાબિત થયો છે. કિશોરભાઈ વાણંદ દ્વારા જાહેર જનતાને ઉકાળા વિતરણનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. વધુ વિગત માટે વૈદ કિશોરભાઈ દશાડીયા મો. નં. 96240 12474 પર સંપર્ક કરવાનો રહેશે.
- text