ટંકારાના ટોળ ગામે પુરના કારણે 12 લોકો નદીના સામાકાંઠે ફસાયા

- text


ટંકારા : ટંકારા તાલુકાના ટોળ ગામે 12 લોકો પુરના કારણે નદીના સામાકાંઠે ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. પાણીના ધસમસતા પ્રવાહને કારણે આ લોકો ફસાયા હોવાના અહેવાલો મળી રહ્યા છે.

ટંકારાના અરણીટીંબા અને ટોળ ગામે 9 માલધારીને 3 ખેડૂતો પુરમા ફસાઈ ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં 5 જેટલા લોકોને ગામ લોકોએ દોરડાની મદદથી નદી પાર કરાવી હતી. પાણીના પ્રવાહને કારણે આ લોકો સામાકાંઠે ફસાઈ ગયા છે. 3 ખેડુતો ખેતરે ગયા હતા અને 9 માલધારી તેના ઢોરને ચરાવવા ગયા હતા. ત્યારે વધુ વરસાદ થયોને નદી પર પુર આવી જતા ફસાઈ ગયા છે.જોકે ગામ લોકોનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે દોરડું બાંધી એક તરવૈયાની મદદથી તેઓને પાણી અને ભોજન પહોચાડવાના પ્રયાસો શરૂ કર્યા છે.

- text

બીજી બાજુ ટંકારામા ભારે વરસાદની આગાહીને પગલે કંટ્રોલ રૂમમા પ્રાંત અધિકારી અનિલ કુમાર ગૌસ્વામી, મામલતદાર પંડયાથી લઇ તમામ અધિકારીઓ કાર્યરત રહ્યા છે.

- text