મોરબી : સ્વયંભૂ નીલકંઠ મહાદેવ મંદિરના 520માં પાટોત્સવનું બુધવારે આયોજન

- text


મોરબી : શંકર આશ્રમ પાસે આવેલા સ્વયંભૂ શ્રી નીલકંઠ મહાદેવ મંદિર જાગીરના 520માં પાટોત્સવનું આયોજન આગામી 28 ઓગસ્ટને બુધવારે યોજાશે.

- text

આ પાટોત્સવ નિમિત્તે સવારે 06:45 કલાકે લઘુરુદ્ર પૂજન, સવારે 10:30 કલાકે ધજા પૂજન, સવારે 10:45 કલાકે ધજા આરોહણ અને બપોરે 12:00 કલાકે મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. મહંત પરિવાર તરફથી આ પાટોત્સવમાં સામેલ થવા ભક્તજનોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

 

 

- text