મોરબી : ખોખરા હનુમાનજીધામ ખાતે ગુરુપૂર્ણિમાના દિવ્યોત્સવનું આયોજન

- text


મોરબી : અનન્તશ્રી વિભૂષિત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર પૂજયમાં શ્રી કનકેશ્વરી દેવીજીના પાવન સાન્નિધ્યમાં ગુરુપૂર્ણિમા દિવ્યોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

- text

તારીખ ૧૬ જુલાઈ ૨૦૧૯ને મંગળવારના રોજ સવારે ૯:૦૦ કલાકે આ કાર્યક્રમનો પ્રારંભ થશે. જેમાં સવારે ૧૦:૦૦ કલાકે ગુરુ આશિષ, બપોરે ૧૨:૦૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ ૧૫ જુલાઈને સોમવારે રાત્રે ૦૯:૦૦ કલાકે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રવીણ સૂરદાસ, દમયંતીબેન બરડાઈ, ગુણવંતભાઈ વૈષ્ણવ મુકેશભાઈ સાધુ સરીખા નામાંકિત ભજન કલાકારો ઉપસ્થિત રહેનાર છે. સર્વે ભક્તજનોને તમામ કાર્યક્રમોમાં પધારવા આયોજકો તરફથી સહૃદય આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

 

- text