મોરબી : ત્રિમંદીર ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી થશે

- text


મોરબી : તારીખ 16 જુલાઈને મંગળવારે નવલખી રોડ સ્થિત દાદા ભગવાન પ્રરૂપિત ત્રિમંદીર ખાતે ગુરુપૂર્ણિમાની ભક્તિભાવપૂર્ણ ઉજવણી થશે. પરમ પૂ.દાદા ભગવાન આ વિશેષ દીને પૂર્ણ સ્વરૂપે હાજરા હજુર હોય દરેક મહાત્માઓને આપ્તપુત્રો સાથે વિશેષ પૂજન, અર્ચન, વિધી, ભક્તિ સત્સંગ, સામાયિક, ગરબાનો શ્રેષ્ટ લાભ લેવા સગા સ્નેહી સંગાથે પધારવા જાહેર આમંત્રણ પાઠવાયું છે. ગુરુપૂર્ણિમાના દિવસે સાંજે 04:00 થી 09:00 સુધી આયોજિત થનારા આ ભક્તિપૂર્ણ કાર્યક્રમમાં સાંજે 06:00 કલાકથી મહાપ્રસાદનું વિતરણ રાખેલ છે.

- text

 

- text