મોરબી : નિવૃત સૈનિકના હસ્તે મનપસંદ ડેરીફાર્મનું ઉદ્ઘાટન કરાવી નવો ચીલો ચાતર્યો

- text


મોરબી : યુવાનીના વર્ષો દેશ માટે સરહદ ઉપર હોમી દેનાર ભારતીય સૈનિકોની સેવા નિવૃત્તિ બાદ તેમનું યથાયોગ્ય સન્માન જાળવવામાં સરેરાશ ભારતીયો ઉપેક્ષા સેવે છે ત્યારે મોરબીના એક વેપારીએ નવી પહેલ કરીને કોઈ સાધુ સંત કે રાજનેતા પાસે પોતાના નવા વેપારી સાહસનું ઉદ્ઘાટન કરાવવાના બદલે એક રિટાયર્ડ આર્મીમેન પાસે ઉદ્ઘાટન કરાવીને નવો ચીલો ચાતર્યો છે.

મનપસંદ મંડપ ડેકોરેશન એન્ડ મેક્સિમો ઇન્ફોટેકના માલિક
ભાવેશભાઈ અમૃતિયાએ પોતાના નવા સાહસ મનપસંદ ડેરીફાર્મ એન્ડ જનરલ સ્ટોરનું ઉદ્ઘાટન મિલેટ્રીના સેવા નિવૃત સૈનિક પાસે કરાવીને એક પ્રશંસનીય પગલું ભરતા પોતાનો દેશપ્રેમ અને સૈનિકો પ્રત્યેનો પોતાનો આદર વ્યક્ત કર્યો છે.

- text


અવધ સોસાયટી, શેરી નંબર ૨, પાટીદાર ગઢની બાજુમાં, નાની કેનાલ રોડ, મોરબી ખાતે ડેરીફાર્મ અને જનરલ સ્ટોરના ઉદ્ઘાટન માટે ભાવેશભાઈએ સેવા નિવૃત સૈનિકને ખાસ પસંદગી આપતા સ્થાનિકોમાં પણ એમના આ પગલાંની પ્રસંશા થઈ રહી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text