મોરબીના રફાળેશ્વર નજીક ટ્રેન હડફેટે અજાણ્યા યુવકનું મોત

- text


મોરબી : મોરબીના રફાળેશ્વર નજીક ટ્રેન હડફેટે અજાણ્યા યુવકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ બનાવની નોંધ કરીને યુવાનની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી તાલુકાના રફાળેશ્વરથી મકનસર વચ્ચે રેલવે ટ્રેક પર ટ્રેન હડફેટે આવી જતા અજાણ્યા યુવકનું મોત નીપજ્યું છે. આ મામલે જાણ થતા પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસે અજાણ્યા યુવકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. જો આ યુવક અંગે કોઈ માહિતી હોય તેઓને તાલુકા પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

 

- text