રંગપર-બેલા નજીક ટ્રકની ઠોકર વાગતા વાઘગઢના આશાસ્પદ યુવાનનું મોત

- text


 

મોરબી: ટંકારા તાલુકાના વાઘગઢમાં રહેતા નિકુંજ રણછોડભાઈ બારૈયા(ઉ. વ. 20) રંગપર-બેલા નજીક ટ્રકને હડફેટે ચડતા મૃત્યુ નીપજ્યું હતું. નિકુંજ મોરબી ખાતે સીરામીક ઈન્ડસ્ટ્રીઝમાં નોકરી કરતો હતો. ગત રાત્રે તેની નાઈટ શિફ્ટ હતી, માટે રાત્રીના એકાદએ તે નાસ્તો લેવા જતો હતો,ત્યારે રંગપર-બેલા નજીક રોડ પર ટ્રક નં જીજે 12 ડબલ્યૂ 7967 એ હડફેટે લેતા ગંભીર ઈજાઓ થઇ હતી. તેને સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો, પરંતુ સારવાર કારગત ન નીવડતા મૃત્યુ પામ્યો હતો.

- text

નિકુંજ બે ભાઈ અને એક બહેનમાં સૌથી નાનો અને અપરિણીત હતો. પિતા રણછોડભાઈ સામાન્ય ખેડૂત છે, યુવાન પુત્રના મોતથી પરિવાર તથા નાનકડા વાઘગઢ ગામમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text