મોરબી : પ્રજાસતાક પર્વની પૂર્વ સંધ્યાએ ભારત વિકાસ પરિષદનું સ્તુત્ય કાર્ય

- text


ચલો જલાયે દીપ વહા, મોરબીમાં ગરીબોને મીઠાઈ વિતરણ

મોરબી : ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ ” ચલો જલાયે દિપ વહા જહા અભીભી અંધેરા હૈ” કાર્યક્રમ અંતર્ગત અત્યંત છેવાડાના માનવીમાં પ્રજાસત્તાક દિનનું મહત્વ સમજાય અને રાષ્ટ્રભક્તિની ભાવના જાગૃત થાય તે હેતુથી તિરંગા વિતરણ તથા મિઠાઇ અને ફરસાણ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.

યોગાનુયોગ આ દિવસે ભારત વિકાસ પરિષદના પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદીના નાના પુત્ર તીર્થનો જન્મદિવસ હોય તેની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન લગભગ ૨૦૦ પરિવારોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. સમગ્ર વસાહતનું વાતાવરણ તિરંગાથી રંગાઈ ગયું હતું અને ભારત માતા કી જયના નારા ગુંજી ઉઠ્યા હતા.

- text

રાષ્ટ્રપ્રેમી મહેશભાઈ ભોરણીયાના સહયોગથી કેટલાક પરિવારોને ભારત માતાની છબી પણ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા રવીન્દ્રભાઈ ત્રિવેદી, હરેશભાઇ બોપલીયા, ડો. પનારા, ડો મનુભાઈ કૈલા, પંકજ ફેફર, દિલીપભાઈ પરમાર, રાવતભાઈ કાનગડ, હરદેવભાઈ ડાંગર, અશ્વિનભાઈ, રમેશભાઈ છૈયા, ધૃમીલ આડેસરા, મનહરલાલ કુંડારીયા, રાજેશભાઈ સહિતના અગવાનો કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

- text