મોરબીના સિરામિક ઉદ્યોગના અણ ઉકેલ પ્રશ્નો અંગે મુખ્યમંત્રીને રજુઆત

- text


રોડ -રસ્તા, જીએસટી, અને ગેસના પ્રશ્ને સિરામિક એસોશિએશનના હોદેદારો દ્વારા મુખ્યમંત્રી રૂપાણીને રૂબરૂ રજુઆત

મોરબી : મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝના વેટ, જીએસટી, ગેસ અને રોડ રસ્તા સહિતના અણઉકેલ પ્રશ્નોને લઈ સિરામિક એસોશિએશન દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રૂબરૂ રજુઆત કરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીરામીક ઉધોગને ગેસ, વેટ, જીએસટી અને રોડ રસ્તા સહિતના પ્રશ્નો સતાવી રહ્યા છે .ત્યારે આ પ્રશ્નોને લઈ મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજા, વેલજીભાઈ બોસ, પ્રકાશભાઈ વરમોરા, અને કિશોરભાઈ સહિતના સીરામીકના અગ્રણીઓએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સીએમ હાઉસે રૂબરૂ મુલાકાત લીધી હતી અને તેમની સમક્ષ મોરબી સીરામીક ઉધોગને સ્પર્શતા પ્રશ્નો અંગે વિગતવાર રજુઆત કરીને આ પ્રશ્નોને ઉકેલવાની માંગ કરી હતી.

- text

- text