- text
યુનાઇટેડ યુથ જીવદયા ગ્રુપ મોરબીની પહેલ
મોરબી : મોરબીમાં રસ્તે રઝળતા અને બિનવારસુ પશુ પંખીઓ માટે કર્તવ્ય જીવદયા કેન્દ્રનો પ્રારંભ થવા જઈ રહ્યો છે આગામી તા.9ને રવિવારે મોરબીની માધવ ગૌશાળા રવાપર રોડ ખાતે સંસ્થાનું મંગલ ઉદઘાટન મહાનુભાવોના હસ્તે કરવામાં આવશે.
- text
મોરબીના યુવાનો દ્વારા સંચાલિત યુનાઇટેડ યુથ જીવદયા ગ્રુપ દ્વારા આગામી તા.9ને રવિવારના રોજ મોરબીની માધવ ગૌશાળા ખાતે કર્તવ્ય જીવદયા કેન્દ્રનો પ્રારંભ કરશે, સંસ્થા દ્વારા રખડતા ભટકતા બિનવારસુ ઘાયલ પશુ-પંખીઓની સારવાર સુશ્રુષા કરવાની સાથે મોરબીમાં સારવાર શક્ય ન્હોય તેવા જીવોને વધુ સારવાર માટે રાજકોટ અથવા જામનગર હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવશે ઉપરાંત ઉત્તરાયણમાં ઘાયલ પંખીઓને બચાવવા મહાઅભિયાન પણ ચલાવશે.
- text