- text
મોરબીના વાધપર પિલુડી ગામે રહેતા વૃધ્ધાનું ઝેરી જનાવર કરડી જતા તેમનું મોત નીપજ્યું છે
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના વાધપર પિલુડી ગામે રહેતા પુંજીબેન બીજલભાઈ મકવાણા ઉ વ 70 ને તેમના ઘરે હાથના અંગુઠામાં કોઈ ઝેરી જનાવર કરડી જતા તેમને 108 માં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર મળે તે પુર્વે તેમનું મોત નીપજ્યું હતું તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે
- text
- text