વાંકાનેરના ઢુંવામાં છત ઉપરથી પડતા શ્રમિકનું અને સાપ કરડતા મહિલાનું મોત

- text


વાંકાનેર : વાંકાનેરના ઢુંવા ગામે સીરામીક ફેકટરીમાં કામ કરતા શ્રમિકનું છત ઉપરથી પડતા અને ભલગામમાં ખેતમજૂર મહિલાને સાપ કરડી જતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

ગઈકાલે વાંકાનેરના ઢુંવા નજીક સનહાર્ટ સીરામીક ફેકટરીમાં કામ કરતા મોહનભાઈ હનીયાભાઈ ભાંભોર આદીવાસી ઉવ-૪૦ રહે- હાલે- સનહાર્ટ સીરામીક ઢુવા તા-વાંકાનેરવાળા છત ઉપરથી પડતા મોત નીપજ્યું હતું.

- text

જ્યારે બીજા બનાવમાં કડવીબેન સામંતભાઈ પરમાર ઉવ-૪૫ રહે- ભલગામ તા-વાંકાનેરવાળાને સાપ કરડતા સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ફરજપરના ડોકટરે મૃત જાહેર કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text