મોરબી પાવરહાઉસ ખાતે હવનાષ્ટમી નિમિતે યજ્ઞ યોજાયો

- text


મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં વેજીટેબલ રોડ ઉપર આવેલા પાવર હાઉસ ખાતે હવનાષ્ટમી નિમિતે નવચંડી મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ મહાયજ્ઞના પ્રધાન આચાર્યપદે મોરબીના વિદ્વાન શાસ્ત્રીજી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવે દ્વારા વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ વિધાન પૂર્વક યજ્ઞ સંપન્ન કરવામાં આવ્યો હતો.

- text

આ પ્રસંગે શાસ્ત્રીજીએ આશિર્વચન આપતાં જણાવ્યું હતું કે યજ્ઞ થકી સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. યજ્ઞ વડે ભાગ્યોદય થાય છે. તેમજ યજ્ઞએ આધ્યત્મિક ધર્મનો વૈભવ છે તેમજ યજ્ઞનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ સમજાવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે જી.ઈ.બી.ના તમામ કર્મચારીઓ, અધિકારીઓ, આજુબાજુના વિસ્તારના તમામ ભાવિક ભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

- text