- text
મોરબી : મોરબીના લીલાપર ગામની અપહરણ થયેલી સગીરાને તાલુકા પોલીસની ટીમે ઉત્તરપ્રદેશથી શોધી કાઢીને પરત લાવવામાં આવી છે. બાદમાં આ મામલે પોલીસે જરૂરી કોર્ટ કાર્યવાહી હાથ ધરી છે.
- text
પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી તાલુકાના લીલાપર ગામની સગીરાનું સુરેન્દ્ર રાજુ યાદવ નામના શખ્સે અપરહણ કર્યું હતું. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આ સગીરા ઉત્તરપ્રદેશના સંતકબીરનગર જિલ્લાના મહેંદાવલ તાલુકાના સરકુરા ગામે હોવાની માહિતી મળતા તાલુકા પોલીસની ટીમ ત્યાં જઈને સગીરાને પરત લાવી છે.
- text