ખાખરેચી ગામ પાસે વિદ્યાર્થીઓના પ્રશ્નનું નિરાકરણ ન આવતા ફરી બે બસ અટકાવી

- text


માળીયા : માળીયાના ખાખરેચી ગામ પાસે વિદ્યાર્થીઓના પ્રશ્નનું નિરાકરણ ન આવતા વિદ્યાર્થીઓએ આજે સવારે બે બસ અટકાવી રાખી હતી.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ માળિયાના ખાખરેચી ગામ નજીક વિદ્યાર્થીઓને પડતી હાલાકીને લઈને તેઓએ અગાઉ પણ બસ રોકી હતી. ત્યારે ફરી આ પ્રશ્ન યથાવત રહેતા તેઓએ આજે પણ ઘાટીલા કિળી વાળી બે બસ રોકી રાખી હતી. હાલ આ બસ રોકાઈ હોવા છતાં એસટીના જવાબદાર અધિકારીઓએ વિદ્યાર્થીઓનો સંપર્ક પણ કર્યો ન હોવાનું જાણવા મળ્યું છે.

 

- text