મોરબીના સામાકાંઠે રેલવે ટ્રેક પર માલગાડી હડફેટે બે ભેંસના મોત

- text


મોરબી : મોરબીના સામાકાંઠે રેલવે ટ્રેક પર માલગાડી હડફેટે બે ભેંસના મોત નિપજ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. બનાવ સંદર્ભે રેલવે વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના સામાકાંઠે પોસ્ટ ઓફીસથી આગળ નજરબાગ તરફ જતા રેલવે ટ્રેક પર બે ભેંસ ઉભી હતી. ત્યારે મોડી રાત્રે ૧:૧૦ વાગ્યાના અરસામાં ગાંધીધામથી સિકકા તરફ કોલસા ભરીને જતી માલગાડી નીકળતા તેની હડફેટે બન્ને ભેંસના મોત નિપજ્યા હતા. હાલ આ ભેંસ કોની હતી તે અંગે રેલવે વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- text

- text