ટંકારામાં રવિવારે લોહાણા સમાજનો સરસ્વતી સન્માન સમારોહ

- text


ટંકારા : ટંકારામાં સમસ્ત લોહાણા મહાજન અને લોહાણા મહાજનની યુવા પાંખના સયુંકત ઉપક્રમે આવતીકાલે રવિવારના રોજ સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

ટંકારાની લોહાણા મહાજન વાડી ખાતે આવતીકાલે તા. ૧૫ને રવિવારના રોજ સાંજે ૪ થી ૮ દરમિયાન સરસ્વતી સન્માન સમારોહ યોજાનાર છે. જેમાં લોહાણા સમાજના ધો. ૧ થી ૧૨ના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરી પ્રોત્સાહન પુરૂ પાડવામાં આવશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જ્ઞાતિજનોને સમસ્ત લોહાણા સમાજ અને લોહાણા સમાજની યુવા પાંખ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text