મોરબી : બીમાર પુત્રના ઈલાજ માટે પિતા ટાઈમ ન આપતા માતાનો આપઘાત

- text


મોરબી: મોરબીના વજેપર વાડી વિસ્તારમાં રહેતી પરણીતાએ આજે ગળા ફાંસો ખાઈને જીવન લીલા સંકેલી લીધી હતી. આ બનાવની એડીપી પોલીસ માંથી મળતી વિગતો અનુસાર મોરબીના વજેપર વિસ્તારમાં આવેલી ભાડિયાની વાડી નજીક રહેતા રસીલાબેન શાંતિલાલ નકુમ (ઉ.મ.૨૪) નામની પરણીતાએ આજે પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે પોલીસે જણાવ્યું હતું કે, મૃતક પરિણીતાનો પુત્ર યશ વારંવાર બીમાર રહેતો હોવાથી તેને સારવાર માટે દવાખાને લઇ જવા માટે પતિને કામ ધંધામાંથી સમય મળતો ન હોય આથી પરણીતાએ એકલા જ બીમાર પુત્રની સારવાર માટે દવાખાને જવું પડતું હતું, આં બાબત લાગી આવતા તેણી એ આ અંતિમ પગલું ભરી લીધું હતું. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ માટે આગળની કાર્યવાહી હાથધરી છે.

- text

- text