મોરબીમાં ઓરપેટ ગ્રુપે નવા બસસ્ટેન્ડની સાફ સફાઈ કરી

- text


ચેરમેન પ્રવીણભાઈ પટેલની આગેવાની હેઠળના સ્વચ્છતા અભિયાનમાં બહોળી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા : જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિ

મોરબી : મોરબીના નવા બસ સ્ટેન્ડ ખાતે ઓરપેટ ગ્રુપ દ્વારા ચેરમેન પ્રવીણભાઈ પટેલની આગેવાની હેઠળ આજરોજ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ઓરપેટ ગ્રૂપના કર્મચારી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશને સુંદર અને સ્વચ્છ બનાવવાના હેતુથી સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેના ભાગ રૂપે ઓરપેટ ગ્રુપ દ્વારા પણ ગ્રૂપના ચેરમેન પ્રવીણભાઈ પટેલની આગેવાની હેઠળ મોરબી શહેરને સ્વચ્છ બનાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.

આજરોજ શનિવારે સવારે ૭ કલાકે ઓરપેટ ગ્રૂપના ચેરમેન પ્રવીણભાઈ પટેલની આગેવાની હેઠળ નવા બસસ્ટેન્ડ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતું. જેમાં ઓરપેટ ગ્રૂપના કર્મચારી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાઈને બસ સ્ટેન્ડની ગંદકી દૂર કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર, સંસદ મમોહન કુંડારીયા પણ જોડાયા હતા. તેમ અજંતા એલએલપીના નેવીલ પ્રવિણભાઈ પટેલ અને હિમાંશુ પ્રવીણભાઈ પટેલની યાદીમાં જણાવાયુ છે.

- text

- text