મોરબી : ૧૪૦ લોટા રાંદલનું ભવ્ય આયોજન

- text


મોરબી : મોરબીની દશાશ્રી જ્ઞાતિની વાડી ખાતે મકવાણા પરિવાર દ્વારા તા. ૨૮ ને ગુરુવારના રોજ ૧૪૦ લોટા રાંદલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યુવા કથાકાર પૂ.શાસ્ત્રી નિખિલભાઈ જોશી હાજરી આપશે.

મકવાણા પરિવાર દ્વારા તા. ૨૮ ને ગુરુવારના રોજ દશાશ્રીમાળી જ્ઞાતિ વાડી, જુના બસ સ્ટેન્ડ પાસે ૧૪૦ લોટા રાંદલનું આયોજન કરાયું છે જેમાં સવારે ૬ કલાકે રાંદલ માં ની પધરામણી થશે જયારે ૧૦ કલાકે માતાજીની ગોયણી અને સાંજે ૫ કાલકે માતાજીના ગરબા યોજાશે તે ઉપરાંત રાત્રીના ૯ કલાકે જામજોધપુર બાળાઓ દ્વારા માં બાપને ભૂલશો નહિ નાટક ભજવાશે આ પ્રસંગે યુવા કથાકાર શાસ્ત્રી નિખીલભાઈ જોષી ઉપસ્થિત રહેશે માતાજીના દર્શનનો ભક્તોએ લાભ લેવા રતિલાલ મોહનલાલ મકવાણાની યાદીમાં જણાવ્યું છે.

- text

 

- text