મોરબીમાં મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિની વાડીના લાભાર્થે ભવાઈનો કાર્યક્રમ યોજાશે

- text


મોરબી : મોરબીમાં કેનાલ રોડ પર સમસ્ત મરછુંકાંઠા વ્યાસ જ્ઞાતિની વાડીના લાભાર્થે રંગારંગ ભવાઈ નો કાર્યક્રમ યોજાશે.

મોરબી સમસ્ત મરછુંકાંઠા વ્યાસજ્ઞાતિ દ્વારા મોરબીના કેનાલ રોડ પર આવેલ નિર્મલ વિદ્યાલયની સામે સુભાષનગર ગરબીચોક ખાતે તારીખ ૨૦ જૂનને બુધવારના રોજ સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિ ના મકાન- વાડીના લાભાર્થે સૌરાષ્ટ્રનું પ્રસિદ્ધ સ્વામી વિવેકાનંદ ભવાઈ મંડળ ખાખરાળા દ્વારા
ભવાઈ કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. જેથી આ કાર્યક્રમમાં મોરબી તેમજ આસપાસમાં રહેતા સર્વે કલાપ્રેમી ભાઈઓ તથા બહેનોને પધારવા મચ્છુકાંઠા વ્યાસજ્ઞાતિની યાદીમાં જણાવાયું છે.

- text

- text